Swaminarayan
Scripture Archive

Archive/Glossary

એ જ પારિભાષિક શબ્દોના ગુજરાતી અર્થ, સ્રોત પ્રમાણે ચકાસેલા — અમે લખેલા નથી.

3 resultsfor “Mahã · clear

Mahã
ઉત્સવ. | છાશ. | તેજ. | બિકાનેરના તાઝીમી પટ્ટેદારો તરફથી ખેડૂતો પાસેથી લેવાતો એ નામનો કર. | ભૈરવ. | માધ માસ; વિક્રમ સંવતનો ચોથો મહિનો. | યજ્ઞ. | શિવ. | એ નામે એક જાતનો વેલો. | ગંગાનાં હજાર માંહેનું એક નામ. | ગાય. | સીતાનાં હજાર માંહેનું એક નામ. | એકસોઆઠ માંહેની એ નામની એક ઉપનિષદ. | ગંભીર. | તાજું. | પવિત્ર. | બહુ; ઘણું. | મોટું; વિશાળ; ઉન્નત; ઊંચું; શ્રેષ્ઠ. કર્મધારય અને બહુવ્રીહિ સમાસ તથા કેટલાક અનિયમિત શબ્દોના આદિમાં વપરાય છે. | ઘણું હોય તેવી રીતે.
Mahã-Mãyã
એ નામનો એક અસુર. | ( પિંગળ ) એ નામે એક આર્યા માત્રામેળ છંદ; મહામઇયા. આ છંદ આર્યા છંદનો એક ભેદ છે. તેમાં ૨૭ લઘુ અને ૧૫ ગુરુ મળી ૪૨ વર્ણની ૫૭ માત્રા હોય છે. | વિષ્ણુ. | શિવ. | આદિ માયા; દુર્ગા; ભગવતી; અંબા; જગતના કારણભૂત અધિષ્ઠાત્રી દેવી. | કજિયાખોર સ્ત્રી; કર્કશા. | કલિ નામના રાજ્યના રાજા અંજનની એ નામની દીકરી. તેને શુદ્ધોદન રાજાથી સિદ્ધાર્થ બુદ્ધ નામનો પુત્ર જન્મ્યો હતો. | કુદરત; મૂળ પ્રકૃતિ. વધુ + | ગંગાનાં હજાર માંહેનું એક નામ. | ગોકુલના નંદ રાજાની એ નામની દીકરી. તેનો અને કૃષ્ણનો જન્મ સાથે થયો હતો અને કૃષ્ણ સાથે તેને અદલબદલ કરવામાં આવી હતી. | ચોસઠ માંહેની એ નામની એક યોગિની. | જગતનું મિથ્યાપણું. | જેનાથી ભૌતિક જગત સત્ય જણાય છે તે માયા. | નર્મદાનાં હજાર માંહેનું એક નામ. | બ્રહ્મ. તેને બે રીતે કલ્પવામાં આવે છે. એક તો તેના ભયંકર રૌદ્ર સ્વરૂપમાં નાશકારક મૂર્તિ તરીકે અને બીજામાં ઉત્પાદક કલ્યાણકારી શક્તિ તરીકે. તેના કલ્યાણકારી સ્વરૂપમાં તેને સરસ્વતી અને લક્ષ્મી તરીકે ઓળખવામાં આવે છે. | મધ્યરાત્રિનો સમય. | મહાનિયતિ. | લક્ષ્મી. | સંસારનો ખોટો મોહ. | સીતાનાં હજાર માંહેનું એક નામ. | સ્ફૂર્તિની નિમિષ.
Mahãbhãrat
કૌરવ અને પાંડવ વચ્ચે થયેલા યુદ્ધ ઉપર વ્યાસે લખેલું એક લાખ શ્લોકવાળું એક સંસ્કૃત વીરરસ પ્રધાન મહાકાવ્ય. તેનાં અઢાર પર્વ આ પ્રમાણે છેઃ (૧) આદિપર્વઃ પ્રસ્તાવના, વંશવ્યાખ્યાન, પાંડવકૌરવ જન્મ, દ્રૌપદીસ્વયંવર, (૨) સભાપર્વઃ હસ્તિનાપુરમાં રાજપુત્રોની સભા, યુધિષ્ઠિરે રાજ્ય ખોવું, વનવાસ, (૩) વનપર્વઃ કામ્યક અરણ્યમાં પાંડવનિવાસ, નળ રાજાની વાત, (૪) વિરાટપર્વ; તેરમાં વર્ષમાં પાંડવોનો પરાક્રમ, (૫) ઉદ્યોગપર્વઃ પાંડવ અને કૌરવ બંને પક્ષની લડાઈની તૈયારી, (૬) ભીષ્મપર્વઃ ભીષ્મના સેનાધિપતિપણા નીચે લડાઈ, (૭) દ્રોણપર્વઃ દ્રોણના સેનાધિપતિપણા નીચે લડાઈ, (૮) કર્ણપર્વઃ કર્ણના સેનાધિપતિપણા નીચે લડાઈ, (૯) શલ્યપર્વઃ શલ્યના સેનાધિપતિપણા નીચે લડાઈ, દુર્યોધનનું ઘાયલ થવું, ત્રણ સિવાય બધા કૌરવોનું માર્યા જવું. (૧૦) શોપ્તિકપર્વઃ બાકી રહેલા ત્રણ કૌરવોનો રાત્રિનો અણચિંતવ્યો હલ્લો, (૧૧) સ્ત્રીપર્વઃ ગાંધારીનો શોક, (૧૨) શાંતિપર્વઃ રાજધર્મ ઉપર ભીષ્મનો સંવાદ, યુધિષ્ઠિરને આશ્વાસન, (૧૩) અનુશાસનપર્વઃ ભીષ્મસંવાદ ચાલુ, ભીષ્મ મૃત્યુ, (૧૪) અશ્વમેધિકપર્વઃ યુધિષ્ઠિર અશ્વમેઘ યજ્ઞ કરે છે, (૧૫) આશ્રમપર્વઃ ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીનું વનવાસમાં જીવન વ્યતીત કરવા જવું, તેઓનાં મૃત્યુ, (૧૬) મૌસલપર્વઃ કૃષ્ણ અને બલરામનું મૃત્યુ, દ્વારકા ઉપર દરિયો ફરી વળવો, યાદવોનો નાશ, (૧૭) મહાપ્રસ્થાનિકપર્વઃ યુધિષ્ઠિરનો રાજત્યાગ, હિમાલય તરફ પ્રયાણ, (૧૮) સ્વર્ગારોહણપર્વઃ યુધિષ્ઠિરનું પાંડવો અને દ્રૌપદી સાથે સ્વર્ગમાં દાખલ થવું. મહાભારતમાં ૨,૨૦,૦૦૦ લીટીઓ છે. તે સુંદરતા તેમ જ લંબાઈમાં બધાં મહાકાવ્યોમાં ઉત્તમ છે. શ્રી ચિન્તામણરાવ વૈદ્ય આ ગ્રંથનાં ત્રણ રૂપ માને છે અને તેના સમર્થનમાં પ્રમાણ બતાવે છે કે, મહાભારતમાં જ કહેલું છે કે, મહાભારત સૌતિએ નૈમિષારણ્યના સત્રમાં શૌનકાદિ ઋષિઓને કહ્યું, જે સૌતિએ વૈશંપાયન પાસેથી સાંભળ્યું હતું. વળી વૈશંપાયન જનમેજયને કહે છે કે, પોતે જે કહે છે, તે એમણે વ્યાસ પાસેથી સાંભળ્યું હતું. મહાભારતના નામાભિધાન વિષે કહેવાય છે કે, સુરગણે એક પડખે ચારે વેદ અને એક પડખે ભારત તોળી જોયાં, તે વેદ કરતાં ભારત અધિક નીકળ્યું, એટલે તેને મહાભારત કહેવા માંડ્યાં. તેમ જ ભરત મહારાજના કુળનો ઇતિહાસ હોવાથી તે મહાભારત કહેવાયું. ભારતનું યુદ્ધ ઈ.સ. પૂર્વે ૩૧૦૨માં થયું. તેના ઉપર વ્યાસે જય નામની કવિતા લખી. વૈશંપાયને તેને વધારીને ભારત નામની કવિતા ઈ.સ. પૂર્વે ૧૨૦૦માં બનાવી હતી અને તેમાંથી સૌતિએ ઈ.સ. પૂર્વે ૨૫૦ના સમયમાં મહાભારત બનાવ્યું. સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે કેઃ મહાભારત અને મહાન રાષ્ટ્રીય ગ્રંથ છે. એ ગ્રંથમાં ભારતનો આત્મા જળવાયેલો છે. એ ગ્રંથમાં લોકોનાં દુઃખો અને યાતનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને શાંતિ માટેનો માર્ગ પણ બતાવવામાં આવ્યો છે. આ ગ્રંથ સૈકાઓ સુધી માનવતાના લાભ માટે એક મહાન સ્મારક તરીકે રહેશે. મહાભારત યુવાનોમાં જ્ઞાન પૂરે છે અને માનવતા સમક્ષ પડેલા અંધકારમય માર્ગો ઉપર પ્રકાશ પાથરે છે. આનંદશંકર ધ્રુવ કહે છે કેઃ મહાભારતના યુદ્ધમાં દુર્યોધન અને તેના પક્ષનો વિનાશ થાય છે, એટલું જ નહિ પરંતુ વિજયવંત પાંડવો અને કૃષ્ણની નેતાગીરી નીચેના એમના મિત્રો વૃષ્ણીઓ પણ નાશ પામે છે. યુદ્ધમાં કરેલાં રુધિરથી ખરડાયેલાં કર્મોનો પશ્ર્ચાત્તાપ તવાથી પાંડવો અવસાન પામે છે અને વૃષ્ણીઓ મદિરાથી મત્ત બનીને પરસ્પર વિનાશ કરે છે. અમર આર્યાવર્તમાં લખ્યું છે કેઃ મહાભારત ગ્રંથ બહુ જ મહત્ત્વનો હોઈને હિંદુ લોકો તેને પાંચમો વદે ગણે છે. રામાયણની માફક મહાભારત પણ દરેક હિંદુ કુટુંબમાં રસપૂર્વક સંભળાવવામાં આવે છે, કેમકે પાંડવકૌરવના યુદ્ધના વર્ણન ઉપરાંત તેમાં બીજી ઘણી રસિક અને સુબોધ આડકથાઓ આવેલી છે. શિવાજી મહારાજને હિંદુ રાજ્ય સ્થાપવાનું મન મહાભારતની કથા સાંભળીને થયું હતું. મહાભારતમાં ભીષ્મ અને શ્રીકૃષ્ણ ખાસ તરી આવે છે. ભીષ્મપિતામહ કૌરવોના પક્ષમાં હોવા છતાં શ્રીકૃષ્ણના પરમ ભકત હતા. તે અત્યંત સ્વાર્થત્યાગી, પ્રતિજ્ઞા પાળનાર, બ્રહ્મચારી અને તપસ્વી હતા. મરણ થતા પહેલાં એમણે બાણની પથારી ઉપર સૂતાં સૂતાં યુધિષ્ઠિર વગેરેને રાજધર્મ તથા મોક્ષધર્મ બહુ સારી રીતે સમજાવ્યા હતા. મહાભારતના શાંતિપર્વ માંહેનો ભીષ્મપિતામહનો આ બોધ અપૂર્વ ગણાય છે. મહાભારત વાંચવાથી તે સમયના એટલે ગીતાયુગના આર્યોની સ્થિતિનો ખ્યાલ આવે છે. તે વખતના આર્યો લગભગ આખા હિંદુસ્તાન ઉપર ફરી વળ્યા હતા. બ્રાહ્મણો પૂજ્ય ગણાતા અને ઘણાખરા બ્રાહ્મણો યુદ્ધમાં લડવા જતા, વિદ્યાર્થીઓના આશ્રમો ચલાવતા. દ્રોણ અને અસ્વત્થામા બ્રાહ્મણ છતાં ક્ષત્રિયોથી પણ ઘણું સારું લડી જાણતા. રાજાઓ ધર્મ અને નીતિ પ્રમાણે રાજ્ય ચલાવતા. શાસ્ત્ર જાણનાર બ્રાહ્મણોને તેઓ સન્માન આપતા. તેઓ મોટાં મોટાં સૈન્યો રાખતા. તે વખતનું સૈન્ય ચતુરંગ એટલે હાથી, ઘોડા, રથ ને પાયદળનું એમ ચાર અંગનું બનેલું હતું. સૈન્યની રચનામાં ચક્રાવો વગેરે જાતજાતના વ્યૂહ ગોઠવવામાં આવતા. મોટા યોદ્ધાઓ રથમાં બેસીને લડતા અને દરેક યોદ્ધો પોતાના રથ તથા ઘોડાઓને ધજા વગેરેથી શણગારતો. મહાભારતમાં દિવ્ય અસ્ત્ર એટલે બંદૂક અને તોપ જેવાં લડવાનાં હથિયારોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. વૈશ્યોનો મુખ્ય ધંધો ખેતીનો હતો. લોકો વેપારમાં પણ સારી રીતે આગળ વધેલા હતા. કપાસ, શણ, ઊન, રેશમ, લાખ, રંગ, વેગેરના હુન્નરો તેઓ જાણતા. તે વખતે આર્યો દેશાવરનો વેપાર પણ ખેડતા. સ્ત્રીઓ ભણેલી હતી અને સંગીત, નૃત્ય વગેરે કળા જાણતી. દ્રૌપદી, કુંતા, સુભદ્રા વગેરે સ્ત્રીઓ નીડર, ચતુર અને કળામાં કુશળ હતી. પુરુષો પોતાનાથી હલકી જાતિની સ્ત્રી પરણી શકતા, પણ ઊંચી જાતિની સ્ત્રી હલકી જાતિના પરુષ સાથે લગ્ન કરી શકતી નહિ. શ્રીકૃષ્ણ જેવા સરજનહાર, ભીષ્મપિતામહ જેવા પ્રતિજ્ઞાપાલક, દ્રોણાચાર્ય જેવા આચાર્ય, યુધિષ્ઠિર જેવા ધર્મરાજા, અર્જુન જેવા આજ્ઞાપાલક, ભીમ જેવા યોદ્ધા, કર્ણ સમા દાનેશ્વરી, અભિમન્યુ જેવા વીર, વિદુર જેવા નીતિમાન ચંદ્ર સમા સદાને માટે પ્રકાશિત છે. ગીતા જેવો સર્વ કાળમાં સર્વને માટે સર્વ ક્ષેત્રમાં અતિ ઉપયોગી એવો અમૂલ્ય વારસો પણ ચંદ્રવંશ તરફથી મળેલ છે. | બહુ જ મોટો કોઈ ગ્રંથ. | મહાન યુદ્ધ કે લડાઈ. વધુ + | ગહન; બહુ અઘરું; કઠણ. | બહુ મોટું; જબરું. | ભયકારક; ભયંકર.