Swaminarayan
Scripture Archive

Archive/Glossary

એ જ પારિભાષિક શબ્દોના ગુજરાતી અર્થ, સ્રોત પ્રમાણે ચકાસેલા — અમે લખેલા નથી.

2 resultsfor “vad · clear

svadharma
પોતાની ફરજ; પ્રસંગને લઇ પોતાને પ્રાપ્ત થયેલું કર્તવ્ય અને તેને અનુસરવાપણું. વધુ + | પોતાનો પરંપરાગત આચાર. | શાસ્ત્ર વિહિત આચાર કે કર્તવ્ય. લોકમાન્ય ટિળક લખે છે કે, સ્વધર્મ એટલે સ્મૃતિકારો એ ચાતુર્વર્ણ્ય વ્યવસ્થાથી પ્રત્યેકને માટે શાસ્ત્રથી નિર્ધારી મૂકેલો ધંધો એવો અર્થ છે, મોક્ષ ધર્મ એવો અર્થ નથી. ગુણધર્મ વિભાગથી કરેલી ચાતુર્વણ્ય વ્યવસ્થા સર્વના કલ્યાણ માટે જ શાસ્ત્રકારો પ્રવૃત્ત કરેલી છે અને તેથી બ્રાહ્મણ ક્ષત્રિયાદિ જ્ઞાની થાય તો પણ તેમણે પોતાનો ધંધો કરવો તેમાં જ તેમનું અને સમાજનું કલ્યાણ સમાયેલું છે અને દરેક વખતે આ વ્યવસ્થામાં ઘાલમેલ કરવી યોગ્ય નથી એમ ભગવાનનું કહેવું છે. વધુ +
vad
વદિ;કૃષ્ણપક્ષ; અંધારિયું; મહિનાનું બીજું પખવાડિયું. તેમાં ચંદ્રની કળા ઘટતી જાય છે. વદ એ સંસ્કૃત શબ્દ બહુલ એટલે કૃષ્ણપક્ષનું ટૂકું રૂપ છે. બહુલમાંથી વહુલ થયું. આમ વહુલનો વ અને દિવસનો દિ મળી વ. દિ. લખાતું હતું. કાળાંતરે બંને ટપકાં લખાતાં બંધ થયાં અને વદિ એ પ્રમાણે લખવાની પ્રથા પડી. વદના કરણો આ પ્રમાણે છેઃ- | કૃષ્ણપક્ષનું. | કૃષ્ણપક્ષમાં.